भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તુળસીને પાંદડે તોલાણા / અનામી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ગુણ તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
હે જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

બોડાણે બહુ નમીને સેવ્યા
બોલડીયે બંધાણા
કૃપા કરીને પ્રભુજી પધાર્યા
ડાકોરમાં દર્શાણા

ઓ નાથ તમે
તુલસીને પાંદડે તોલાણા

હેમ બરાબર મૂલ કરીને
વાલ સવામાં તોલાણા
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુ
ત્યારે સખીઓને વચને વેચાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા
વેદ પુરાણે વંચાણા
હરિગુરુ વચન કહે વણલખે
જગત બધામાં જણાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
ઓ જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા