Last modified on 31 जनवरी 2015, at 14:54

રાનમાં / મણિલાલ ભગવાનજી દેસાઈ

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:54, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

પવન પેઠો રાનમાં તો યે
ઝાડવાં કેવાં થિર બેઠેલાં !

પાતરાં બેઠાં આંખ મીંચીને,
ફૂલ બેઠાં છે ફેરવી ડાચું.
મનમાં હાનું ભૂત ભરાયું ?
કયે ઠેકાણે પઈડું વાંકું ?
આજ તો જાણે મરવા બેઠાં
કાલ તો હૂતાં ખૂબ ચગેલાં !

મોઈ પડેલી આમલી પેલી
બાવરિયામાં કેમ રે આજ ?
ભોગ ભરાયા રાનના હાને
ઝાડવું ઝાડવું મનમાં હીજે?
આજ હપરવે દા’ડે ઝાડવે
ઝાંખરે ભવાં કેમ ખેંચેલાં?
પવન પેઠો રાનમાં તો યે
ઝાડવાં કેવાં થિર બેઠેલાં ?