Last modified on 31 जनवरी 2015, at 14:55

સવાર / મણિલાલ ભગવાનજી દેસાઈ

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:55, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

રાત્રિનું દુર્ભેદ્ય બખ્તર તોડતાં
તમરાં ગયાં થાકી.
ને રીઝવવા રાતને
રાતરાણી રાતભર વરસી સુગંધે,
પણ હવે થાકી.
ડોકને લાંબી કરી, તારલા તાકીને ભસતાં કૂતરાંએ
ડોળ સૂવાનો કર્યો,
ત્યારે....
હમણાં સુધી સૃષ્ટિના જડ ભાગશા
મોભ પર બેસી રહેલા કૂકડાઓ
પૂર્વમાં મો ફેરવીને બાંગ મારી.
કોઈ રાતા રંગનો ઘોડો હલ્યો
ખૂલી અટારી,
કળીએ આંખ ચોળી,
દૂર ડાળે ઝૂલતી કોયલ ઊઠી બોલી....
ને
રાત નાઠી.