1,357 bytes added,
12:53, 28 जून 2013 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નરસિંહ મહેતા
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપજ્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈંયો 'એ તે જ તું', 'એ તે જ તું', એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.
</poem>