1,181 bytes added,
11:44, 19 जुलाई 2013 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= અખો ભગત
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
નૈં પાપી ને નૈં પુણ્યવંત, એકલમલ તે સાચા સંત;
કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે;
એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગૈ ટળી.
ગ્રંથમાંઇ જેમ તેમ હો, પણ તરી નીસરે તેને શેનો ભો;
તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી;
તાણો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી.
સદગુરુ મારગ સદા અલગ, જેમ પંખીને ગત્ય સળંગ;
પગ નૈં દીસે પંથ કપાય, તેમ સદગુરુ મારગ ઉપર જાય;
ઉપાય અખા નૈં લક્ષ શું કામ, કર્મધર્મ તો જ્યાં.
</poem>