Last modified on 28 दिसम्बर 2014, at 12:24

ચક્રવ્યૂહ / ભરત ત્રિવેદી

ક્યારેક થાય છે કે
તેના વિના ક્યારેય ચાલશે નહીં, તો
ક્યારેક થાય છે જે માર્ગનો અંત ના હોય
તેના પર કેટલું ચાલ્યા કરવું !

એક ડાળ પરથી ઊડીને
બીજી ડાળ પર જઈ બેસવું, ને
કોઈ નવું ગીત ગાવું
પંખીના તો સ્વભાવમાં હોય, પણ
ચોરસ આકાશમાં
કૅરમની કૂકરીની જેમ
આમ-તેમ ભટકાયા કરવું
થકવી દેતું હોય છે

કાગળ પર શબ્દની હાલત - ક્યારેક
ચક્રવ્યૂહમાં ફસાયેલા યોદ્ધા જેવી હોય છે !