Last modified on 31 जनवरी 2015, at 14:54

પલ / મણિલાલ ભગવાનજી દેસાઈ

સરકી જાયે પલ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
નહીં વર્ષામાં પૂર
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિઃસંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ