भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે / મીરાંબાઈ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:21, 19 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મીરાંબાઈ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે.
મને કૃષ્ણ કનૈયાની ...

રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની ...

વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની ...

વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની ...

મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એ તો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની ...