Last modified on 8 अगस्त 2013, at 17:39

નીતિતુંબી ભવસિંધુને તરાવે / નર્મદશંકર દવે

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:39, 8 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નર્મદશંકર દવે |अनुवादक= |संग्रह= }} ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

નીતિતુંબી ભવસિંધુને તરાવે
તુફાની તુરંગમાંથી,
વાયુ ભયંકરમાંથી,
ધારવાળા ખડકમાંથી,
ક્ષેમ તીરે લાવે લાવે. તે તરાવે
વીંટળાઇ વળી લાલચો ચોપાસે;
નથી ધૈર્ય અને સત્યનુંબળ પાસે;
અરે, રહેવું બંધાઇ જમપાશે;
પ્રભુ, પ્રેર તું ઉપાય, લાગુ પાય, હે જગરાય
તું સમરાય, સુખડું થાય, મનની લાય,
બહુ બહુ હાય, સહુ સમાય,
સંકટો ના'વે ના'વે. તે તરાવે