भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અમૃતત્વસિન્ધુ / નરસિંહરાવ દિવેટિયા

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:03, 9 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નરસિંહરાવ દિવેટિયા |अनुवादक= |सं...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

રોળાવૃત્ત
અસ્થિર મુજ સુખરંગ ભૂરો ચિર વ્યોમ પ્રકાસે,
મનુજ ક્ષણિક, ને સિન્ધુ અનન્ત રહેતો ભાસે.
એક સિન્ધુ પણ બીજો, જ્યહાં નહિં તરંગ ચંચળ,
શાન્ત સદા જ્ય્હાં નીર, નહિં જ્ય્હાં વાદળ ધાંધળ; ૧

હેવો ને વળી અમર, સદા આનન્દ-સ્વરૂપે,
જે'માં આ સિન્ધુડું કદી લય પામી ડૂબે;
જ્ય્હારે જાશે ડૂબી ભૂમિ, પર્વત ને નદિયો;
જ્ય્હારે ગ્રહ, ગ્રહરાજ, તારલા ને ચાંદલિયો, ૨

જાશે સહુ બૂઝાઇ, મળી જઈ જ્યોત બીજીમાં;
ત્ય્હારે અહિંનો સિન્ધુ જશે ભળી તે જલધિમાં.
તે જલધિમાં ઝીણી લહરિ કદી કદી મકલાએ,
ચળકે શીળું નૂર તેહનું તે વેળાએ; ૩

તે વેળાએ ત્યહાં થતો રવ કાંઈ ગભીરો,
કો વેળા અહિં ભૂમિ લગી આવે ધીરો;
અહિંનો જે ઘોંઘાટ વીંટાઈ ચૉગમ વળિયો,
ત્હેમાંથી તે ધીર નાદ કદી મ્હેં સાંભળિયો. ૪