Last modified on 19 अगस्त 2013, at 15:59

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી / ગંગાસતી

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:59, 19 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= ગંગાસતી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી
તેને કરવું પડે નહીં કાંઈ રે,
સદગુરુ વચનની છાયા પડી ગઈ
તેને અઢળક પ્રેમ ઉરમાંય રે ... પ્રેમલક્ષણા

પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને
હરિએ આરોગ્યાં એંઠા બોર રે,
આવરણ અંતરમાં એકે નહીં આવ્યું ને
ચાલ્યું નહીં ત્યાં યમનું જોર રે ... પ્રેમલક્ષણા

પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને
ભૂલી ગઈ દેહ કેરું ભાન રે,
કેળાની છાલમાં હરિને રીઝવ્યાં ને
છૂટ્યું અંતરનું એનું માન રે ... પ્રેમલક્ષણા

એવો રે પ્રેમ જેને પ્રગટિયો,
તે સ્હેજે હરિભેગો થાય રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
તેથી યમરાજ દૂર જાય રે ... પ્રેમલક્ષણા