Last modified on 6 जनवरी 2016, at 14:16

અલખ નિરંજા / જિગર જોષી

અહો અહર્નિશ અસલ ઉઠી અહાલેક અલખ નિરંજા,
ભુવનત્રંય રુંવું રુંવું પ્રસરંતી ભગવા રંગી સુગંધા.

અરધ-પરધ કે અલપ ઝલપ નહીં - છે એવી ઉતકંઠા,
ત્રેવડ હો તો ભલે છાતીએ દરદ દિયે નવરંગા.

મનસમદરમાં એ જ વિચારે અઢળક ઉઠે તરંગા,
લખ્યું આયખું જેણે એણે લખ્યું નહીં લિખિતંગા.

દરશન થાઓ એવા ગુણીજન કહીએ ચેતનવંતા,
અસ્ત, ઉદય, સર્જન વ વિસર્જન, નહીં આદી નહીં અંતા.

અવાવરૂ કંટક નવ કરજો નવ ઝાડી ઝંખરિયાં,
દિનમાં સૂર્યમુખી શા કરજો ; રાતે રજનીગંધા.