भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને / કલાપી

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:24, 1 जनवरी 2015 का अवतरण ('{{KKRachna |रचनाकार=સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી ગાય તેવો જ હું છું,
ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે;
રે રે! તોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી;
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા!
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!
દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.