भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઓ વ્રજનારી! / દયારામ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:49, 22 जुलाई 2013 का अवतरण

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?
પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી!

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,
સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી!

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી!

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી!

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!