भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઉદ્દગાર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:24, 26 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ |अनु...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

(ખંડ શિખરિણી)

વસ્યો હૈયે તારેઃ
રહ્યો એ અંધારેઃ

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સબંધોનો સમય રસભીનો પણ ગયો  !

નહિ તદપિ ઉદ્વેગ મુજનેઃ
નયન નીરખે માત્ર તુજનેઃ
હરે દૃષ્ટિ, વહાલી, સદય મૃદુ તારી જ રુજને !

સદા રહેશે એવીઃ
સુધાવર્ષા જેવીઃ
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણીઃ
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી !