બાપુનો જન્મદિવસ / હરીન્દ્ર જયંતીલાલ દવે

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:10, 23 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરીન્દ્ર જયંતીલાલ દવે |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

આજ બાપુનો જનમદિન
જ્યારથી સરકાર પાળે છે રજા
ત્યારથી કમેય ભૂલાતો નથી.

વાંચશું થોડા ગીતાના શ્લોક ?
'વોઈસ ઑફ ઈન્ડિયા' જોવા જેવું છે,
ક્યાં સમય રહેશે ?

ને ઉપવાસ ?
ના રે એમ દુભવ્યે જીવ
બાપુ તે કદી રાજી રહે ?

રાજઘાટ જશું ?

ચલો, સુંદર જગા છે,
ટહેલશું થોડું.
અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી
કર્તવ્યનિષ્ઠા તો બતાવીશું.
ક્યાં બિચારાએ સહન થોડું કર્યુ
બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે

પ્રાર્થનાના તો ન શબ્દો યાદ
પણ બાપુ સદા કહેતા હતા
કે હૃદય જો પ્રાર્થતું હોયે તો સાચી પ્રાર્થના.

આ રજાનો દિન
હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમઃ
વ્યાખ્યાન કોઈ રાજનેતાનું -
જવા દો,
ગ્રામ પર મૂકો નવી રેકોર્ડ.

આજ બાપુનો જનમદિન
ને રજા,
કેટલો જલ્દી દિવસ વીતી ગયો,
જેમ બાપુનું જીવન.

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.