Last modified on 14 अगस्त 2015, at 10:41

કોઈને કહેશો નહીં / ગૌરાંગ ઠાકર

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:41, 14 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ગૌરાંગ ઠાકર |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં.

આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં.

શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,
ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં.

બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,
જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઈને ક્હેશો નહીં.

એક વેળા ઈશ્વરે પૂછયું તને શું જોઈએ?
માગવામાં છેતરાયો, કોઈને ક્હેશો નહીં.