Last modified on 7 सितम्बर 2015, at 16:35

બેઠો છું તણખલા પર / લલિત ત્રિવેદી

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:35, 7 सितम्बर 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=લલિત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

ઋષિજી! આદરી દીધું છે આંદોલન હું બેઠો છું તણખલા પર,
જગતનું ને ગુપતનું તાગી સમતોલન હું બેઠો છું તણખલા પર.

ન કોઈ ઇલ્મ કે ફેલાવી સંમોહન હું બેઠો છું તણખલા પર,
જીતી તેંતરીસ પૂતળીઓનું સિહાસન હું બેઠો છું તણખલા પર.

થરકતા કોડિયે ઝલમલતો , હે મોહન! હું બેઠો છું તણખલા પર,
ક્યાં મારે કરવો છે સંપન્ન ગોવર્ધન,હું બેઠો છું તણખલા પર.

જુઇમાં થૈને આવેલી લહર અડકે મને પણ થાય છે રોમાંચ,
મેં સાબૂત કીધા છે આદિમ સંવેદન હું બેઠો છું તણખલા પર.

તણખલા જેટલે અજવાળે પહોચ્યો છું ગરથ અડસઠ વટાવીને,
ગતિ અજવાળતી ઝાલરના લઇ કંપન હું બેઠો છું તણખલા પર.

હું તપ કરવા નથી બેઠો ,તડપ લઈને હું બેઠો છું ,મહર્ષિજી !
હવાસોહોશમાં રાખી છે મેં ધડક, હું બેઠો છું તણખલા પર.

લઈ એક તાર હું બેસું તણખલા પર ,ભગત બેસે છે મન્દિરમાં,
તણખલા જેટલું રાખ્યું છે મેં બંધન ,હું બેઠો છું તણખલા પર.