અલખ નિરંજા / જિગર જોષી

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:16, 6 जनवरी 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જિગર જોષી |अनुवादक= |संग्रह= }} {{KKCatGujara...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

અહો અહર્નિશ અસલ ઉઠી અહાલેક અલખ નિરંજા,
ભુવનત્રંય રુંવું રુંવું પ્રસરંતી ભગવા રંગી સુગંધા.

અરધ-પરધ કે અલપ ઝલપ નહીં - છે એવી ઉતકંઠા,
ત્રેવડ હો તો ભલે છાતીએ દરદ દિયે નવરંગા.

મનસમદરમાં એ જ વિચારે અઢળક ઉઠે તરંગા,
લખ્યું આયખું જેણે એણે લખ્યું નહીં લિખિતંગા.

દરશન થાઓ એવા ગુણીજન કહીએ ચેતનવંતા,
અસ્ત, ઉદય, સર્જન વ વિસર્જન, નહીં આદી નહીં અંતા.

અવાવરૂ કંટક નવ કરજો નવ ઝાડી ઝંખરિયાં,
દિનમાં સૂર્યમુખી શા કરજો ; રાતે રજનીગંધા.

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.