भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"વૈષ્ણવજન તો તેને રે કહીયે / નરસિંહ મહેતા" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નરસિંહ મહેતા |अनुवादक= |संग्रह= }} {{K...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
16:17, 18 जुलाई 2013 के समय का अवतरण
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.