भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"હું તો પરણી પ્રીતમની સંગાથ / મીરાંબાઈ" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મીરાંબાઈ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
15:30, 19 जुलाई 2013 के समय का अवतरण
હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ... હું તો પરણી
ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી,
હું તો મંગળ વરતી છું બે ને ચાર... બીજાનાં મીંઢળ.
રાજસી ભોજન જમવાં નથી રે વહાલમજી,
અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે... બીજાનાં મીંઢળ.
મોતીની માળા કામ ન આવે રે વહાલમજી,
અમે તુલસીની માળા પહેરી રહીશું રે... બીજાનાં મીંઢળ.
હીર તણાં ચીર કામ ન આવે રે વહાલમજી,
અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે... બીજાનાં મીંઢળ.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર વહાલા,
હું તો પ્રભુને ભજીને થઈ છું ન્યાલ રે... બીજાનાં મીંઢળ.