भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"કાળજ કોર્યું તે કોને કહીએ / દયારામ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દયારામ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <po...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

16:01, 22 जुलाई 2013 के समय का अवतरण

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?
વેરી હોય તો વઢતાં રે ફાવીએ,
પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!

ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ,
ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે!
કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!

કળ ન પડે કાંઈ પેર ન સૂઝે!
રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે!
અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!

દયાના પ્રીતમજી ને એટલું કહેજો:
ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!