भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સગુણભક્તિ અંગ / અખો ભગત

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:20, 19 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અખો ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <p...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;
અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર.

પડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.

અણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે;
અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં;
અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા.

બહુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ.

મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ;
જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત;
એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા.

આત્મલક્ષમાં નહિ પર આપ, વણ સંતાને કેનો બાપ;
વણ જોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.