भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કિયે ઠામે મોહની / દયારામ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:04, 22 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દયારામ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <po...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

કિયે ઠામે મોહની ન જાણી રે,
મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી.

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં,
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી.

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં,
કે મોરલી મોહનની પિછાણી રે? મોહનજી.

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં,
કે કટાક્ષે મોહની વખાણી રે? મોહનજી.

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં,
કે શું અંગ-ઘેલી કરી શાણી રે? મોહનજી.

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં,
કે જોબનનું રૂપ કરે પાણી રે? મોહનજી.

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે,
તનમનધને હું લૂંટાણી રે! મોહનજી.