भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મરણ દુ:ખ અતિ કારમું રે / ધીરા પ્રતાપ બારોટ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:38, 5 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= ધીરા પ્રતાપ બારોટ |अनुवादक= |संग्...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મરણ દુ:ખ અતિ કારમું રે,
મરણ મોટેરો માર ,
કંઇક રાજા ને કંઇક રાજિયા
છોડી ચાલ્યા દરબાર
તે હરિનો રસ પીજિયે.

સંસાર ધૂવાડાના બાચકાને
સાથે આવે નહીં કોઇ,
રંગ પતંગનો ઊડી જાશે ને
રે’શે જોનારા રોઇ…. તે હરિનો …..

કોના છોરૂ ને કોના વાછરૂ,
કોના મા ને બાપ
એમાંથી કોઇ નહીં ઉગરે
જાશે બુઢ્ઢાને બાળ… તે હરિનો….

માળી વીણે રૂડા ફૂલડાને
કળિયું કરે રે પોકાર,
આજનો દા’ડો રળિયામણો
કાલે આપણ શીર ભાર… તે હરિનો….

મરનારાને તમે શું રે રૂઓ,
નથી રોનારો રહેનાર
જન્મ્યા એટલાં જીવે નહીં ને,
જાશે એની જણનાર… તે હરિનો….

ધીરો રમે રંગ મહેલમાં,
રમે દિવસ ને રાત,
અંતે જાવુ જીવને એકલું,
સાથે પુણ્ય ને પાપ…તે હરિનો રસ પીજિયે.