भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

નવ કરશો કોઈ શોક / નર્મદશંકર દવે

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:34, 8 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નર્મદશંકર દવે |अनुवादक= |संग्रह= }} ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

નવ કરશો કોઈ શોક રસિકડાં,
નવ કરશો કોઈ શોક.

યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી,
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી.

મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી,
એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી.

હતો દુખિયો થયો સુખિયો સમજો છૂટ્યો રણથી,
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી.

હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી,
વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.

જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી,
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી.

જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી,
મને વિસારી રામ સમરજો સુખી થશો તે લતથી.