भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

શ્રાવણ નીતર્યો / બાલમુકુન્દ મણિશંકર દવે

Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:26, 29 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે |अनुवादक=...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી
પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલોજી.

આ સમણા કેરા કરા પડે કોઈ ઝીલોજી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલોજી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી
પેલી ઝરણાંની વણઝાર હો કોઈ ઝીલોજી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલોજી.