भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સાંજ / મણિલાલ ભગવાનજી દેસાઈ

Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:54, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

આખો દિવસ
આળસુ કૂતરાની જેમ
બેસી રહેલા
બત્તીના થાંભલાઓ
એકાએક ભસવા માંડ્યા.
અવાવરુ ઘરના ખાટલા નીચે
ભરાઈ રહેલો અંધકાર
ભાંખોડિયાં ભરતો ભરતો
બહાર નીકળી ગયો.
કબૂતરના ગળાની
નિઃસહાયતા
ઘૂ ઘૂ કરતી થીજી ગઈ.
બારીમાંથી
(કોઈની આંગળી પકડી
પાછી આવવા)
ક્ષિતિજ પર દોડી ગયેલી
મારી નજર
ધીમે ધીમે
ભારે પગે પાછી આવવા માંડી
સૂરજ ઢળી ગયો
ને અંધારાએ
બારી બંધ કરી દીધી.