भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગર્વોક્તિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:45, 29 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી |अनु...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

વિશ્વવિજેતા એક ઊભો હું,
હો ના કો ઊભવા સામે !
તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં,
રહો ના એ જે કો વામે !
એક વિરાટ હું, વિશ્વવિજેતા,
અવનિ સર્વ ખલાસ !
બીજો સ્નેહનારો ન્હો જગમાં,
મ્હારો પ્રખર પ્રકાશ !

એક અમર હું, સર્વ મરેલા :
નવચેતન હું માત્ર !
કો ન્હો મુજને જોતા જેનાં
ગલિત થતાં ના ગાત્ર !
એક અપાર હું શક્તિસાગર, અવનિ સર્વ હતાશ
સર્જન હું, શાશ્વત હું, બીજા સઘળા હોય વિનાશ