Last modified on 5 जुलाई 2016, at 20:32

પ્યાસના આવેગથી ક્યાં પર હતા / રાકેશ હાંસલિયા

પ્યાસના આવેગથી ક્યાં પર હતા.
સિંધુના કાંઠે ભલેને ઘર હતા !

કૈંક કહેવું’તું ઘણાં વર્ષો પછી,
એ ક્ષણે સામે ફક્ત પથ્થર હતા !

છીપના અવશેષ પણ ક્યાંથી મળે ?
રણ હવે છે, જ્યાં કદી સરવર હતાં.

તો ય કાં રડતો રહ્યો આ ઓરડો ?
આંગણે ઊભાં ઘણાં અવસર હતા.

ઓટ તો પણ આવવા દીધી નહીં,
પ્રશ્ન તો ‘રાકેશ’ને સત્તર હતા.