भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"તુળસીને પાંદડે તોલાણા / અનામી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અનામી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem>...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
17:11, 22 जुलाई 2013 के समय का अवतरण
ગુણ તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
હે જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
બોડાણે બહુ નમીને સેવ્યા
બોલડીયે બંધાણા
કૃપા કરીને પ્રભુજી પધાર્યા
ડાકોરમાં દર્શાણા
ઓ નાથ તમે
તુલસીને પાંદડે તોલાણા
હેમ બરાબર મૂલ કરીને
વાલ સવામાં તોલાણા
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુ
ત્યારે સખીઓને વચને વેચાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા
વેદ પુરાણે વંચાણા
હરિગુરુ વચન કહે વણલખે
જગત બધામાં જણાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
ઓ જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા