भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"અલખ નિરંજા / જિગર જોષી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જિગર જોષી |अनुवादक= |संग्रह= }} {{KKCatGujara...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
14:16, 6 जनवरी 2016 के समय का अवतरण
અહો અહર્નિશ અસલ ઉઠી અહાલેક અલખ નિરંજા,
ભુવનત્રંય રુંવું રુંવું પ્રસરંતી ભગવા રંગી સુગંધા.
અરધ-પરધ કે અલપ ઝલપ નહીં - છે એવી ઉતકંઠા,
ત્રેવડ હો તો ભલે છાતીએ દરદ દિયે નવરંગા.
મનસમદરમાં એ જ વિચારે અઢળક ઉઠે તરંગા,
લખ્યું આયખું જેણે એણે લખ્યું નહીં લિખિતંગા.
દરશન થાઓ એવા ગુણીજન કહીએ ચેતનવંતા,
અસ્ત, ઉદય, સર્જન વ વિસર્જન, નહીં આદી નહીં અંતા.
અવાવરૂ કંટક નવ કરજો નવ ઝાડી ઝંખરિયાં,
દિનમાં સૂર્યમુખી શા કરજો ; રાતે રજનીગંધા.