भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"મૈત્રીના ફાગણમાં / હરિશ્ચન્દ્ર જોશી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરિશ્ચન્દ્ર જોશી |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
20:25, 5 जुलाई 2016 के समय का अवतरण
ભૈ, વાંધા-વચકા નહીં સારા,
વેંત એકનું જીવતર લૈને નીકળી જાવું પરબારા...
ખરબચડી ભાષા પીધી છે રેશમશું ક્યાં બોલાતું ?
માણસ જેવા માણસનું મન શબ્દકાનસે છોલાતું
બળ્યાઝળ્યાને ઝાકળ ટોઈ કરવાના છે ઉપચારા...
મૈત્રીના ફાગણમાં સૂક્કા હાથ થશે ચંદનડાળી
સાત રંગનાં અજવાળાં છે રાત ભલે ઊગે કાળી
આંખે વંચાતા જાશે રે ભીનાં ભીનાં વરતારા...
હથેળીઓમાં ચાવી ફરશે ખૂલશે રે શંકાબેડી
ચાર આંખની વચ્ચે ઝૂલશે સામે પાર જતી કેડી
આરપાર સંચરશે કોઈ પાંપણ નીચે ભણકારા...