Last modified on 22 जुलाई 2013, at 17:11

તુળસીને પાંદડે તોલાણા / અનામી

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:11, 22 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અનામી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem>...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

ગુણ તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
હે જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

બોડાણે બહુ નમીને સેવ્યા
બોલડીયે બંધાણા
કૃપા કરીને પ્રભુજી પધાર્યા
ડાકોરમાં દર્શાણા

ઓ નાથ તમે
તુલસીને પાંદડે તોલાણા

હેમ બરાબર મૂલ કરીને
વાલ સવામાં તોલાણા
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુ
ત્યારે સખીઓને વચને વેચાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા

મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા
વેદ પુરાણે વંચાણા
હરિગુરુ વચન કહે વણલખે
જગત બધામાં જણાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા
ઓ જી એવા ગુણ
તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે
તુળસીને પાંદડે તોલાણા