Last modified on 28 दिसम्बर 2014, at 12:25

ઘર અને આકાશ / ભરત ત્રિવેદી

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 12:25, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ભરત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

મારા ઘરની ચાર દીવાલો
ઘરને કાયમ ટોકતી રહે છે કે
હદમાં રહે !

ઘરને થાય કે બારીમાંથી
બહાર કૂદી પડું,

પણ
છતનો વિચાર આવતાં જ
રોકાઈ જાય છે.

છત ધારે તો ગમે ત્યારેય
ઊડવા માંડે
પણ ઊડી ઊડીને જાય ક્યાં
આકાશ સુધી જ ને !

દીવાલો ટોક્યા કરે છે
ઘરને
અને ઘર તાક્યા કરે છે
બારીને

અને છત તાક્યા કરે છે
આકાશને...