भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પ્યાસના આવેગથી ક્યાં પર હતા / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:32, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાકેશ હાંસલિયા |अनुवादक= |संग्रह= }...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

પ્યાસના આવેગથી ક્યાં પર હતા.
સિંધુના કાંઠે ભલેને ઘર હતા !

કૈંક કહેવું’તું ઘણાં વર્ષો પછી,
એ ક્ષણે સામે ફક્ત પથ્થર હતા !

છીપના અવશેષ પણ ક્યાંથી મળે ?
રણ હવે છે, જ્યાં કદી સરવર હતાં.

તો ય કાં રડતો રહ્યો આ ઓરડો ?
આંગણે ઊભાં ઘણાં અવસર હતા.

ઓટ તો પણ આવવા દીધી નહીં,
પ્રશ્ન તો ‘રાકેશ’ને સત્તર હતા.