भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તુલસીકયારો / ભરત ત્રિવેદી

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 12:11, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ભરત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મને હવે મારા આંગણમાં
એક તુલસીકયારો રોપવાનું
મન થયા કરે છે...

કયાંક એવું તો નહીં હોય ને કે
દાદીમા
દિવાનખંડમાં ટાંગેલા ફોટામાંથી
કોઈ જોતું ના હોય ત્યારે
આંગણામાં લટાર મારી આવે છે,
ને પછી તેમની આદત મુજબ
મને કહ્યા કરે છે!
બધા તો કહે છે કે
અહીંની માટીમાં તુલસીનો છોડ
લાખ પ્રયત્નને અંતે ય ફાલતો નથી !

દાદીમાનો ફોટો લાવી
દીવાલ પર ટાંગ્યો
ત્યારે વિચારવા જેવું હતું,

હવે તો તુલસીકયારો
કવિતામાં ઊગી નીકળે ને
કોઈ ઘેઘૂર વડની જેમ વિસ્તરે
તો વાત બને.